Pareto (80-20 rule) #3: Applying pareto for operations & project management
સંચાલન અને પ્રોજેક્ટ મેનેજમેન્ટમાં પેરેટો (80/20 નિયમ) સિદ્ધાંતનો અસરકારક ઉપયોગ (Not available in English) ડૉ. ગુંજન વાય. ત્રિવેદી ગત સપ્તાહે, રોકાણના સંચાલનમાં પેરેટો સિદ્ધાંત (80/20 નિયમ)ની ભૂમિકા અંગે ચર્ચા કરી હતી. આ સપ્તાહે, આપણે વ્યવસાયના બે ક્ષેત્ર કવર કરીશું: પ્રોજેક્ટનું સંચાલન અને ચાલુ કામગીરી. પ્રોજેક્ટ મેનેજર્સ હંમેશા ચાર પરિમાણો વચ્ચે સંતુલન સાધવાનો પ્રયાસ કરે છે. 1)અવકાશ (scope), 2) ગુણવત્તા, 3) ખર્ચ, 4) શેડ્યુલ. પ્રોજેક્ટ્સ અલગ અલગ હોય શકે છે ત્યારે આ ચાર પરિમાણો પ્રોજેક્ટને અસરકારક બનાવવા માટે એકબીજા સાથે કામ કરે છે. ઉદાહરણ તરીકે પ્રયોજક ઝડપી ગતિએ પ્રોજેક્ટ પૂરો કરવા માંગે છે. એ કેસમાં, ઝડપી પરિણામ હાંસલ કરવા માટે પ્રોજેક્ટ મેનેજર